ખુશામત અને ટીકા



      *" કેટલીક વાર ત્રીજી પેઢી સુધી, પરસ્પર લેણદેણના સંબંધો હોવાના લીધે પારિવારીક સંબંધોની સ્નેહભરી મિત્રતા અવિરત Continue હોય છે. સંપથી ધંધા, રોજગાર  કે વ્યવસાયમાં સફળતાની ટોચ પર  સ્વાભાવિક પ્રગતિ થતી હોય છે.અનેક લોકો હ્રદયપુર્વક વખાણ કરવાની  સાથે સાથે કેટલાક લોકો નકારાત્મક દષ્ટિથી ટીકાઓ પણ કરતાં જ હોય છે. છતાંય હિંમત હાર્યા વિના સત્કર્મો કે સતત પરિશ્રમથી Best Achievement મેળવવા માટે જ પ્રયત્નો કરવા જોઈએ..."* 
          *"સાચું માર્ગદર્શન આપનારા સ્નેહીજનોનો ખુબ ખુબ આભાર પણ માનવો જોઈએ.તેઓને તો આપણાં પર ખુબ જ સ્નેહભાવ હોય છે.."*
            *"સફળતા વિષે "ટીકા"ઓ  થતી હોય તો પણ, નિરાશ થયાં વિના, હકારાત્મક ઉર્જા મેળવવા માટે જ પ્રયત્નો કરવા..."*
       *"દ્રાક્ષ ખાટી છે"તેવી એક સ્ટોરી છે. તે પણ યાદ કરી લેવી. વખાણ અને ખુશામત વચ્ચે પણ સુક્ષ્મ ભેદ છે, તે પણ યાદ રાખવું..."*
             *(નરેન્દ્ર  મોઢ)*