પરેશાની




કોઈ તમને એની પરેશાની કહે તો...
એની વાત દિલ થી સાંભળવી, તમારે એ સમજવું જોઈએ કે તમને એ પોતાના માને છે 
એટલા માટે જ એ એના દિલ ની વાત કરે છે... 
હી તો આ જમાના માં કોણ કોના પર વિશ્વાસ કરે જે પોતાના દિલ ની વાત શેર કરે..??

કોઈ પણ સવાલ નો જવાબ એ કહી દે છે કે સામે વાળા સાથે તમારો સંબંધ કેવો છે..

એક વ્યક્તિ બીજી વ્યક્તિ ને એમ પૂછે કે "કેમ છે"

ત્યારે એ વ્યક્તિ કે વ્યક્તિ ચહેરા પર સ્માઈલ લાઈ ને કહી દે કે "મજા માં છું"

પછી થોડા સમય પછી એજ વ્યક્તિ ને બીજી વ્યક્તિ પૂછે  "કેમ છે"??

તો તરત જ એ વ્યક્તિ એમ કહેશે યાર સાચું કહું મજા માં નથી મારે આ તકલીફ છે.. 
બહુ હેરાની સાથે એના મન નું દુઃખ કહી દે છે..
હવે તમે વિચારો કે આવું કેમ...?  
બંને એ અલગ અલગ જવાબ કેમ આપ્યા.?

કેમ કે એ વ્યક્તિ ને પહેલા જે મળ્યા એ ખાલી હાઈ હેલો વાળા મિત્રો હતા...

અને જે બીજા મળ્યા એ જ દિલ સાથે જોડાયેલા મિત્રો હતા, વિશ્વાસપાત્ર મિત્રો હતા.. 
ત્યારે પોતાની અંગત વાત કહી શકે..

એટલે મિત્ર બનો તો એવા બનો કે સામેનું પાત્ર તમારી જોડે એનું દિલ ખોલી શકે...




જે બાબત તમને હેરાન કરે છે
એ તમને કઈક તો આપે જ છે
ક્યારેક અનુભવ કે ક્યારેક શીખ.
#Hk’s Thoughts



અને હંમેશા બીજા ને સાંભળવા નો પ્રયાસ કરવો જોઈએ.. સામેવાળા ની તકલીફ માં ઘટાડો થાય છે..
બસ આટલું જ.

મને એકવાત નો ગર્વ છે કે કોઇની સમસ્યા ને હું દૂર કરવા પ્રયત્ન કરું છુ અને એનાથી મને સૌથી વધારે ખુશી મળે છે..


:હાર્દિક ગાંધી